વેબસાઇટ અંગેની એલ.આઇ.બી.ને લગતી કુદરતી
આપત્તિ સમયે પ્રસિદ્ધ થતા જાહેરનામાની વિગત
અમદાવાદ
ગ્રામ્ય જિલ્લામાં કુદરતી
આપત્તિ સમયે નીચે મુજબના જાહેરનામા
પ્રસિદ્ધ કરવામાં આવે છે.
(૧) રોગચાળો :-
જાહેરનામું: કોલેરા અધિનિયમ -૧૯૭૧ની કલમ ૩ મુજબ.
શું કરવું અને શું ન કરવું ? :-
આ રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય ખાતા તરફથી જરૂરી દવાઓની વ્યવસ્થા કરવામાં આવે છે.
તેમ જ ગંદકીવાળી જગ્યાએ જીવજંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.
જ્યારે પણ રોગચાળો ફાટી નીકળે ત્યારે આમ જનતાએ ઉકાળેલું પાણી પીવું જોઇએ
તેમ જ ઉઘાળો તેમ જ વાસી ખોરાક લેવો ન જોઇએ.
(ર)
પૂર :-
જાહેરનામું : મુંબઇ પોલીસ અધિનિયમ -૧૯પ૧ની કલમ ૩૩(૧)(ખ) તથા ૩૩(પ)(ર) મુજબ.
શું કરવું અને શું ન કરવું ? :-
ભારે વરસાદના કારણે
પૂર આવતાં રોડ તુટી
જવાથી કોઇ મોટો અકસ્માત બનવા ન પામે
ઊભા તે હેતુસર વાહનો બીજા
માર્ગે ડાયવર્ટ કરવામાં આવે છે.
તેમ જ વધારે પાણી ભરાયેલા રોડ ઉપર આમ જનતાએ પાણીમાં જવાનું સાહસ કરવું ન જોઇએ.
તેમ જ જર્જરીત મકાન
તેમ જ ઝાડ નીચે ઊભા રહેવું જોઇએ નહીં.
પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં જવા
મનાઇ ફરમાવેલી હોઇ તેવી જગ્યાએ જવું જોઇએ નહીં.
(૩) રોડ ટ્રાફીક :-
જાહેરનામું : મુંબઇ પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧)(બી) મુજબ નીચે જણાવેલા રસ્તા ઉપર ભારે વાહનોની નીચેની વિગતે ડાયવર્ઝન કરવા હુકમ ફરમાવવામાં
આવ્યો છે.
-
સરખેજ તથા
સૌરાષ્ટ્ર તરફથી આવતાં ભારે માલવાહક વાહનો સનાથલ ચોકડીથી
રિંગ રોડ ઉપર ડાયવર્ટ થઇ શાંતિપુરા ચાર રસ્તાથી બોપલ
રિંગ રોડ ચાર રસ્તા શીલજ ચાર રસ્તા, સાયન્સ
સિટી ચાર રસ્તા, ઓગણજ ચાર રસ્તા થઇ
વૈષ્ણોદેવી સર્કલ થઇ ગાંધીનગર તરફ જઇ શકશે.
-
ગાંધીનગર તરફથી
આવતાં ભારે વાહનો જે
સૌરાષ્ટ્ર તરફ જવાના છે તે વાહનો
વૈષ્ણોદેવી સર્કલથી ડાયવર્ટ થઇ
રિંગ રોડ ઉપર જઇ ઉપર પમાણે સનાથલ સર્કલ બાયપાસ જઇ શકશે.
-
ભારે માલવાહક વાહનોએ સરખેજથી એસ. જી. રોડ ઉપર
પ્રવેશ કરવો નહીં તથા વૈષ્ણવદેવી સર્કલથી ગોતા થઇ સરખેજ તરફ
પ્રવેશ કરવો નહીં.
શિક્ષા:-
આ જાહેરનામાનો કે કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અન્વયે શિક્ષાને પાત્ર થશે.
|