વેબસાઇટ અંગેની એલ.આઇ.બી.ને લગતી
ચૂંટણી વખતે પ્રસિદ્ધ થતા જાહેરનામાની વિગત.
અમદાવાદ
ગ્રામ્ય જિલ્લામાં યોજાયેલ લોકસભા, વિધાનસભા,
મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત
વગેરે ચૂંટણીમાં કાયદાની જોગવાઇની વિગતો
ચૂંટણી વખતે પ્રસિદ્ધ થતાં જાહેરનામાની વિગતો નીચે મુજબ છે.
રાજ્યના ચૂંટણી પંચની સૂચનાનુસાર
ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષો, કાર્યકરો, ઉમેદવારો ખાનગી કે જાહેર
માલિકીની મિલકતોની દીવાલો વગેરે ઉપર
તેમનાં પોસ્ટરો ચોંટાડે કે ચીતરીને લખાણ લખીને કે
તેમનાં પ્રતિકનું ચિહ્ન ચીતરીને
મિલકતને બગાડવામાં આવે છે. આ સંબંધે
મિલકતના માલિકની
કોઇ પરવાનગી લેવામાં આવતી નથી. આ
પ્રકારનો દૂરપયોગ મિલકત માલિકને અડચણરુપ હોવાથી
કોઇ પણ ખાનગી કે જાહેર
મિલકતો જેવી કે અગત્યની
સૂચનાઓ અને રસ્તાઓની દિશા સુચવતા
પાટિયાં, હાઇવે રસ્તા ઉપરના માઇલ સ્ટોન અને
બોર્ડ, રેલવે લેવલ ક્રોસિંગ ઉપરના ચેતવણી આપતાં
બોર્ડ, રેલવે પ્લેટફોર્મ ઉપરના બોર્ડ, બસ સ્ટેન્ડ ઉપરના
બોર્ડ, લોકોને ચેતવણી આપતા
બોર્ડ, ટેલિફોન અને
ઇલેક્ટ્રિક લાઇનના થાંભલાઓ, સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ, નગરપાલિકા અને પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓની
મિલકત તથા સહકારી સંસ્થાઓ મકાનો
રાજ્ય કે કેન્દ્ર સરકારની કચેરીઓનાં મકાનો /દીવાલો જાહેર
માર્ગો તથા ખાનગી
માલિકીના મકાનો/દીવાલો અને ખાનગી
બોર્ડ ઉપર સંબંધિત મિલકતના માલિકની
લેખિત પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય
કોઇ પણ રાજકીય પક્ષ અન્ય
કોઇ સંસ્થા
ચૂંટણીના ઉમેદવાર કે
તેમનાં કાર્યકર સમર્થક કે
સહાનુભૂતી રાખનાર કે અન્ય
કોઇ પણ વ્યક્તિ ચૂંટણી જાહેરાત/પ્રચાર અંગે પોસ્ટર ચોંટાડી કે ચીતરી શકશે નહીં.
ફોજદારી
કાર્યરીતિ અધિનિયમ : ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ
હુકમ :-
હુ ક મ :-
અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ
જિલ્લો અમદાવાદ ફોજદારી
કાર્યરીતિ અધિનિયમ : ૧૯૭૩ની કલમ ૧૪૪થી નીચે
પ્રમાણે ફરમાવવામાં આવે છે.
-
રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ
નક્કી થયેલ આચારસંહિતા અન્વયે કોઇ પણ રાજકીય પક્ષ કે
ચૂંટણીના ઉમેદવારો સીધી કે આડકતરી રીતે સંકળાયેલી અન્ય કોઇ પણ
વ્યક્તિઓને ઉપર જણાવેલી જાહેર કે ખાનગી
મિલકતો ઉપર ચૂંટણીપ્રચાર અંગે પોસ્ટરો ચોંટાડી કે
ચીતરીને, ચિહ્નો ચીતરીને, બેનરો/પડદા લગાડી કે અન્ય
ચૂંટણીપ્રચારના લખાણો લખી
મિલકતોને બગાડવા ઉપર
પ્રતિબંધ મૂકવામાં આવે છે.
-
મિલકતોના માલિકની લેખિતમાં
પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય
મિલકતને બગાડશે કે
નુકસાન પહોંચાડશે તેની સામે ફોજદારી રાહે કામ ચલાવવામાં આવશે.
તેમ જ બગડેલી કે
નુકસાન પામેલી મિલકતને સુધારવામાં આવશે અને તે માટે જે ખર્ચ થશે તે તમામ ખર્ચ તેમની પાસેથી વસુલ કરવામાં આવશે.
-
આ હુકમ, હુકમની તારીખથી તાલુકા/જિલ્લા પંચાયતની
ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
-
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર
ઇસમ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ : ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (સને. ૧૯પ૧ના મુંબઇ પોલીસ અધિનિયમ નં.રર)ની કલમ ૩૭(૧) મુજબનો હુકમ :-
હુ ક મ :-
કાયદો અને વ્યવસ્થાની
તેમ જ પબ્લિક ઓર્ડરની જાળવણી અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ
જિલ્લો મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (સને. ૧૯પ૧નો મુંબઇ પોલીસ અધિનિયમ
નં.રર)ની કલમ ૩૭(૧)થી નીચેના
કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
કૃત્યો :-
-
શસ્ત્રો, દંડા, તલવાર,
સોટી, બંદૂક, ખંજર, અસ્ત્રો, સળગતી મશાલ તથા સામાન્ય અને છેડેથી અણીવાળું પાનું હોય તેવું ચપ્પુ તથા ત્રણ ઈંચથી વધારે લંબાણ ધરાવતું
લાંબું અણીવાળું ઘાતક શસ્ત્ર સાથે રાખી ફરવાની મનાઇ ફરમાવું છું.
તેમ જ લાકડી, લાઠી અથવા શારીરીક
નુકસાન પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની.
-
કોઇ પણ રીતે શરીરને
હાનિકારક એવો કોઇ પણ ક્ષયકારી
પદાર્થ સ્ફોટક પદાર્થો સાથે ફરવાનું.
-
પથ્થરો અથવા
બીજાં શસ્ત્રો અથવા
બીજાં શસ્ત્રો ફેંકવાના અથવા નાંખવાનાં યંત્રો.
-
સળગતી મશાલ અગર સળગાયેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
-
વ્યક્તિઓ અથવા તેના શબ અથવા
આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવાની.
-
લોકોએ
બૂમો પાડવાની, ગીતો ગાવાની
તેમ જ વાજાં વગાડવાની.
-
જે છટાદાર ભાષણ આપવાથી, તાળી પાળવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો નિશાનીઓ, જાહેરખબરો, અથવા
બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાથી-દેખાડવાથી અથવા તેનો ફેલાવો
કરવાથી, અધિકારીઓના અભિપ્રયો પ્રમાણે સરુચિ અથવા
નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી
રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા તેના પરિણામે
રાજ્ય કથળી પડવાનો સંભવ હોય
તેવાં છટાદાર ભાષણો આપવાની, ચેનચાળા
વગેરે કરવાની અને તે ચિત્રોનિશાનીઓ
વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
અ પ વા દ :- આ હુકમનો ખંડ-૧ નીચેની
વ્યક્તિઓને લાગુ પડશે
નહીં.
-
સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમને, જે તે ઉપરી અધિકારીએ આવું કોઇ પણ
હથિયાર સાથે લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઇ પણ હથિયાર લઇ જવાની જેની ફરજ હોય તેમને.
-
સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવાં કે સંગીન
વગેરે સાથે રાખવા પડતાં હોય તેમને લાગુ પડશે
નહીં.
-
જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટ સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જિલ્લા પોલીસ અધિકારી અથવા જે તે
અધિકૃત કરેલા હોય
તેવાં કોઇ પણ પોલીસ અધિકારીઓએ જેને શારીરિક
અશક્તિના કારણે લાઠી અથવા લાકડી સાથે રાખવા પરવાનગી આપેલી હોય તે
વ્યક્તિઓને લાગુ પડશે
નહીં.
આ
જાહેરનામાના કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન સને ૧૯પ૧ના મુંબઇ પોલીસ અધિનિયમની કલમ ૧૩પની પેટા કલમ-૧ ઓછામાં ઓછી ચાર
મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદની અને દંડની તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમની જાહેરાત
નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાએ ચોંટાડી
પ્રસિદ્ધ થાય છે. તેમ જ સ્થાનિક વર્તમાનપત્ર
તેમ જ આકાશવાણી અને દૂરદર્શન
કેન્દ્ર ઉપરથી જાહેરાત કરવામાં આવે છે.
મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (સને ૧૯પ૧ના મુંબઇ પોલીસ અધિનિયમ નં.રર)ની કલમ ૩૭(૩) મુજબનો હુકમ :-
હુ ક મ :-
કાયદો અને વ્યવસ્થાની જાળવણી વાસ્તે અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ
જિલ્લો મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (સને. ૧૯પ૧નો મુંબઇ પોલીસ અધિનિયમ
નં.રર)ની કલમ ૩૭(૩)થી ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું
નહીં અગર કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં તેમ જ કોઇ સરઘસ કાઢવું
નહીં.
અનુસૂચિ (વિસ્તાર) :- અમદાવાદ
જિલ્લાનો સમગ્ર મહેસુલી વિસ્તાર. (પોલીસ
કમિશનરશ્રી અમદાવાદ શહેરની
હકૂમત સિવાયનો વિસ્તાર.)
ખુલાસો :- આ વિસ્તારમાં રસ્તાઓ, રસ્તાઓની
ફૂટપાથો, ગલીઓ અને પેટાગલીઓનો પણ સમાવેશ થાય છે.
અપવાદ :- આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય
તેમ જ હોમગાર્ડ જેવી ફરજ ઉપર હોય તથા
ધાર્મિક અગર મરણોત્તર અથવા તો તે અંગેની
અધિકૃત સત્તાધિકારીની પાસેથી
મંજૂરી મેળવી હોય
તેવાં સભા-સરઘસોને લાગુ પડશે
નહીં.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯પ૧ના મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩પની પેટા કલમ ૩ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમ- ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટીને અથવા લાઉડ સ્પીકરો મારફતે તેની જાહેરાત કરીને અથવા સ્થાનિક વર્તમાનપત્રોમાં તેની જાહેરખબર આપીને અથવા આકાશવાણી અને
દૂરદર્શન કેન્દ્ર ઉપર તેનું
પ્રસારણ કરીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને ગુજરાત સરકારના અસાધારણ
રાજ્યપત્રમાં જાહેર કરીને
પ્રસિદ્ધ કરવામાં આવે છે.
મુંબઇ પોલીસ અધિનિયમ -૧૯પ૧ (સને ૧૯પ૧ના મુંબઇ પોલીસ અધિનિયમ નં. રર) માંની કલમ ૩૬(એ-ઇ) અને ૩૬(ઇ-એ) મુજબનું જાહેરનામું
હુ ક મ :-
આથી મુંબઇ પોલીસ અધિનિયમ સને. ૧૯પ૧ની કલમ ૩૬એ હેઠળ
ચૂંટણીમથકો ઉપર મતદાન કરનાર સ્ત્રી તથા પુરુષ મતદારોએ મતદાન માટે સ્ત્રી તથા પુરુષની
અલગ અલગ લાઇનમાં ઉભા રહેવા અને ક્રમ પ્રમાણે મતદાન કરવા ફરમાવામાં આવે છે.
મુંબઇ પોલીસ અધિનિયમ સને.-૧૯પ૧ની કલમ ૩૬(એ-ઇ) અને ૩૬(ઇ-એ) હેઠળ મતદાન મથકો નજીકમાં નીચે મુજબના
કૃત્યો કરવાની મનાઇ ફરમાવામાં આવે છે.
''મતદાનમથક નજીકમાં સંગીત વગાડવાની, ગાવાની, ઢોલ વગાડવાની, પીટવાની કે
કોઇ પણ વાજિંત્ર લાઉડ સ્પીકર કે સાધનથી મોટો અવાજ થાય તેમ હોય તે વગાડવાની.''
ઉપરોક્ત જાહેરનામાંના ઉલ્લંઘન કે ઉલ્લંઘન કરવામાં મદદ કરનાર તેનું પાલન ન કરનાર તેનો વિરોધ કરનારને ગુનો
સાબિત થયેથી સદરહુ અધિનિયમની કલમ ૧૩૪ મુજબ
રુ.ર૦૦/- સુધીની દંડની શિક્ષાને પાત્ર ઠરશે.
તેમ જ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબનો ગુનો
સાબિત થયેથી તે વ્યક્તિને એક માસની સાદી કેદ અગર
રુ.ર૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષા થઇ શકશે અને આ હુકમની અવગણનાથી માનવીય જીવ અથવા સ્વાસ્થ્ય કે સલામતીને ભય ઉત્પન્ન થાય અથવા કોઇ હુલ્લડ બખેડો થાય તો તેવી
વ્યક્તિને છ માસ બિનપરિશ્રમ સાદી કેદ અથવા
રુ.૧૦૦૦/- સુધીના દંડ
સહિત અથવા બંને શિક્ષાને પાત્ર ઠરશે.
|